વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન.. એક વર્ષમાં કામ પૂર્ણ થશે.. – શ્રી સંત સ્વામી.

By: nationgujarat
23 May, 2025

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છું . આજ એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. . લાખો યાત્રાળુઓ માટે આજનો દિવસ વધુ ખુશીનો રહેશે.
૨૦૫ ઓરડાના વિશાળ વિસ્તરણમાં આધુનિક સુવિધાઓ ઉમેરાશે. મંદિર પરિસરમાં આવતો દરેક યાત્રી અમારા માટે વંદનીય છે, એમ ચેરમેનશ્રી ડો સંત સ્વામીએ જણાવ્યું હતું.
આજે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી રાકેપ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ સાથે વેદ મંત્રના ગાન સાથે પુજ્ય લાલજીશ્રી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે સંતો મહંતો સત્સંગીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.

અને ભગવદ અર્ચવતારની પૂજા સાથે, લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ,ચેરમેનશ્રી ડો સંત સ્વામી , મુખ્ય કોઠારી શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી , ટ્રસ્ટી બોર્ડના સભ્યો શ્રી તેજસભાઈ પટેલ , અલ્પિતભાઈ પટેલ , હરિકૃષ્ણાનંદજી વગેરે અને સત્સંગના અગ્રણી ભક્તોના ભુપેન્દ્રભાઈ ભરૂચ – અશ્વિનભાઈ વિરસદ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
આ વિશાળ યાત્રી ભુવન વિસ્તરણનું કાર્ય આજથી એક વર્ષમાં પૂર્ણ થશે.


Related Posts

Load more